પૂછાય છે

 નંદ દ્વારે ઘોષણા થાળી પિટાઈ થાય છે
સાભળીને દેવકી ખૂશી ખૂશી છલકાય  છે

રામ, સીતા, લક્ષમણની મુર્તિ પૂજાય છે
ઉર્મિલાના ત્યાગને ક્યાં કોઇથી જોવાય છે!

માત તારી અશ્રુધારા જોઉ છું હું મુખ પર
દર્દ પિતાનું છુપું ક્યાં કોઇને દેખાય છે!

જોડણીના કોષમાં સંબંધના અર્થો જુઓ
લાગણી એવી દુનિયામાં કદી વર્તાય છે!

પ્રેમમાં સંબંધની ગાંઠો ઉકેલો છો ભલા!
પ્રેમમાં જાતી કદી ક્યાં કોઇની પૂછાય છે!

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

2 Responses to પૂછાય છે

  1. ખૂબ સુંદર કવિતા. બહુ આનંદ થયો કે રામ સીતા અને લક્ષ્મણ ની સાથે તમે ઊર્મિલ નો પણ ઉલ્લેખ કર્યો. સાચો વનવાસ ઊર્મિલા નો જ હતો. એક પંક્તિ ટાંકુ છું અહીંયા.

    ઓરડામાં ગુંગળાતો શ્ર્વાસ કોનો?
    એક બીજા પર મુકેલ વિશ્ર્વાસ કોનો?
    રામ અને સીતા તો સાથે જીવ્યા હતા
    સાચે સાચુ કહો કે સાચો વનવાસ કોનો?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s