નંદ દ્વારે ઘોષણા થાળી પિટાઈ થાય છે
સાભળીને દેવકી ખૂશી ખૂશી છલકાય છે
રામ, સીતા, લક્ષમણની મુર્તિ પૂજાય છે
ઉર્મિલાના ત્યાગને ક્યાં કોઇથી જોવાય છે!
માત તારી અશ્રુધારા જોઉ છું હું મુખ પર
દર્દ પિતાનું છુપું ક્યાં કોઇને દેખાય છે!
જોડણીના કોષમાં સંબંધના અર્થો જુઓ
લાગણી એવી દુનિયામાં કદી વર્તાય છે!
પ્રેમમાં સંબંધની ગાંઠો ઉકેલો છો ભલા!
પ્રેમમાં જાતી કદી ક્યાં કોઇની પૂછાય છે!
ખૂબ સુંદર કવિતા. બહુ આનંદ થયો કે રામ સીતા અને લક્ષ્મણ ની સાથે તમે ઊર્મિલ નો પણ ઉલ્લેખ કર્યો. સાચો વનવાસ ઊર્મિલા નો જ હતો. એક પંક્તિ ટાંકુ છું અહીંયા.
ઓરડામાં ગુંગળાતો શ્ર્વાસ કોનો?
એક બીજા પર મુકેલ વિશ્ર્વાસ કોનો?
રામ અને સીતા તો સાથે જીવ્યા હતા
સાચે સાચુ કહો કે સાચો વનવાસ કોનો?
મૌલિકભાઇ સરસ મુક્તક. આ રીતે પ્ર્તિભાવ આપતા રહેશો.