હસમુખો ચહેરો કહે છે

    વાર્તા

આજે સવાર પડતા જ નિલીમાને સમાચાર મળ્યા તેના કાકાનો દીકરો કોરોનામાં સપડાયો છે, અરે કાલ સુધી બારણે બારણે કોરોનાના કેસ કેટલા છે માહિતી મેળવતો હતો, લોકલ ન્યુઝ પેપરને આપતો, પોતે સંપૂર્ણ સાવચેતી રાખતો લોકોને માસ્ક વગર જવાનું નહી વેક્સિનની લાઈનમાં ૬ ફુટ ડિસ્ટન્સ રાખી ઊભા રહેવાનું વગેરે..સુચનાઓ આપતો ત્યાં સુધી કે કોઈની પાસે માસ્ક ના હોય તો પોતે માસ્ક લાવી આપતો, મોટી ઉમરના ને શાક અનાજ વગેરે જીવન જરૂરિયાતની સામગ્રી પણ લાવી આપતો. આ બધુ કામ હસતા મોઢે કરે. તેનું નામ મનોહર બધાના મનમાં વસી જાય. 
પોતાના દીકરા, દીકરી સુખી હતા, પપ્પા રિટાયર્ડ થયા પછી દીકરાને ત્યાં રહેતા, દીકરાની કોઇ રોક-ટોક નહી પપ્પાને  સારું પેન્સન આવતું તે પોતાના માટે સેવામાં વાપરે તેનો કદી વાંધો ના લેતા, મનોહરના પત્નિ ખૂબ સમજુ પતિને અને બાળકોને સાથ સહકાર આપે પોતાની જરૂરિયાત ખૂબ ઓછી. આ રીતે તેઓનું સુખી સંયુક્ત કુટુંબ આનંદમાં રહેતુ,  ૨૦૨૧ની સાલમા આવા કુટુંબ બહુ ઓછા જોવા મળે. 
 નિલીમા અને તેના પતિ ડો નિલેશ ખબર મળતા જ તેના ઘેર ગયા બધાના ટેસ્ટ કરાવ્યા બધાએ વેક્સિન લીધેલ તેથી રિઝલ્ટ નેગેટિવ આવ્યા મનોહરે વેક્સિન લીધેલ છતા કોરોના થયો હોસ્પિટલમાં સ્પેસિયલ રૂમમાં જગ્યા મળી ગયેલ નેસલ કેન્યુલા વડે ઑક્સિજન આપતા સેચુરેસન ૯૭-૯૮ ટકા રહેતુ  સાધારણ તાવ ઉધરસ હતા ચાર દિવસ બધી દવાઓ આપી, ઓક્સિજન વગર સેચ્યુરેસન ૯૮- ૯૯ આવ્યું તે  દિવસે ડોકટરે કહ્યું મનોહર આજે તને રજા આપીએ છીએ તારે મને એક પ્રોમિસ આપવું પડશે, બોલો સાહેબ શું પ્રોમિસ છે? તારે ૧૫ દિવસ ઘેર આરામ કરવાનો પછી તારો બ્લડ ટેસ્ટ કરીશું વેક્સિનના એન્ટિબોડિની તપાસ માટે સારું સાહેબ હું આરામ કરીશ. ૧૫ દિવસે એન્ટિબોડિ ટેસ્ટ થયો નોર્મલ જણાયો. છતા ડોકટરે સુચના આપી મનોહર સાવચેત રહેવું પડશે. પહેલાની જેમ બધે જવાનું નહી અને અમુક એરિયામાં તો બિલકુલ નહી, બરાબર સાહેબ સાવચેત રહીશ.
મનોહરે તેના સ્વભાવ મુજબ ૪ થી ૫ કલાક બધે ફરવાનું બધાને મદદ કરવાનું શરું કરી દીધું. ઘરનાએ બહુ વાંધો નહી લીધો. મહિનામાં ફરી કોવિડ ૧૯ માં મુટેન્ટ વાયરસનો ભોગ બન્યો આઇ સિ યુ માં દાખલ કર્યો વેન્ટિલેટર પર રાખ્યો હ્રદય કિડની બધા ઓરગન પર અસર થવા લાગી  બધા સ્પેસ્યાલિસ્ટ આવ્યા ઘણી સારવાર કરી ૧૨ કલાકમાં મલ્ટિ ઓરગન ફેલ્યોરમાં મનોહરનો જીવાત્મા નસ્વર દેહ ત્યાગી ગયો. ગામ આખાને રડતા મુકી મનહર ચાલ્યો ગયો. કહેવાય છે ને સારા માણસની ભગવાનને પણ જરૂર પડે છે.  

Posted in સ્વરચના | 1 ટીકા

તપસી સાચા

અછાંદસ કાવ્ય

કંચન કામિની કુટુંબ કાયા
  જીવને જકડી રાખનાર
 દેહનું કષ્ટ અવગણી જે
સમતાની અનુભૂતિ કરે
એજ તો તપસી સાચા

Hindu Saint
ભગવા પહેરી ભોળવે જે 
તે ધુતારા છે ગામે ગામ
ગરીબ ધનિક સૌને લુટે
તપસી સાચાને ન જાણે 

ફરતા ચેહરે ચઢાવી માસ્ક
  નહી ઓળખાતા ભલે 
    વર્તણુકે ઉઘાડા પડે
વિભુએ ઘડ્યા સૌને સરખા
કર્મ કાળાશે થતા મેલા

પુન્ય પાપના ભેદ ભૂલાતા
ભક્તો ભરમમાં રહેતા
માયા જાળે ફસાતા
અજાણ રહે તપસી સાચા

 

 

Posted in સ્વરચના | 3 ટિપ્પણીઓ

વસંત વરણાગી


શિશિરને દીધી વિદાઇ
આવકારું વસંત વરણાગી
નવ પલ્લવ વૃક્ષની છાંય
કાબર ચકલીની ચહલ પહલ
આવકારું વસંત વરણાગી

ખાખરો વિતાવે વર્ષ પાંદડા ખરખર
કેશરિયો ફેંટો સોહાય મસ્તક
લહેરકી એક પવનની આવે
કેશરી ધરા સોહામણી ભાષે
આવકારે વસંત ઋતુ રાજ

આંબા ડાળે કોયલ સંતાય
કુહુ કુહુ ટહુકારે ટહુકે વસંત
સોહામણી સંધ્યાએ પારિજાત
મોગરા જુઇ ગુલાબ રાતરાણી
ફેલાવે મહેંક વસંતની સુવાસ
આવકારું વસંત વરણાગી


Posted in સ્વરચના | 1 ટીકા

શિવ સ્વરૂપ

sadasiva

 

 ત્રિનેત્ર શિવ સ્વરૂપ દર્શન
 ઉજાળે જીવન પથ જરૂર
રુદ્ર સ્વરૂપ મહાદેવાય નમ
અંતર ગુહાયે જાપ નિરંતર
ખીલવશે આધ્યાત્મ પુષ્પ
જીવન મેંહકશે સુવાસે ભરપુર

ચંદ્રમૌલી શિવસ્વરુપ દર્શન
તાપ કષ્ટ હરનાર શાંત સ્વરૂપ
ફણિધર નાગ આભુષણ હાર
ભાવુકોને કરતો ભય મુક્ત
દેવાધિદેવ સતકોટિ નમન

સૃષ્ટિનો સર્જનહાર, પાલનહાર
કૃષ્ણપક્ષે મધ્યરાત્રીએ ઉદભવે
 પ્રકાશિત કરે યુગનો અંધકાર 
પ્રભુ માગુ શિશ ઝુકાવી આજ
કોરોના જીવાણુને કર તું ભસ્મ 

 

 

 

Posted in કાવ્ય | 4 ટિપ્પણીઓ

વેલેન્ટાઈન દિવસ

  વેલેન્ટાઈન દિવસ આજકાલના યુવાન યુવક -યુવતીઓનો હગ દિવસ, લાલ ગુલાબ દિવસ! ૫૦- ૫૫  વર્ષ સુધી સુખ દુઃખમાં સાથ નિભાવ્યો એ દંપત્તિ માટે તો બારે માસ વેલેન્ટાઇન દિવસ જ છે. આ સાડા ચાર અક્ષરનો અર્થ સમજી લઈએ.
વેલેન્ટાઇન નો વ- વફાદારી વહેતો રહે નિરંતર
લ- લેવાની ભાવના પહેલા આપવાની ભાવના
ન- નથી એ મોહતાજ મોંઘી ભેટ કે મોંઘા ગુલાબનો
ટ-ટૂટે નહી કદી, અખૂટ અતૂટ વહેતો રહે 
ઇન- ઇન્કાર સ્વનો, અહંકાર સુન્ય
આજ કાલના યુવક યુવતીઓ સેલ ફોન પર લવ યુ હની એવા જોબ પરથી મેસેજ મુક્યા કરે આવો પ્રેમ ક્યારે ઊતરી જાય કહેવાય નહી.
પ્રેમ ઍતો અવ્યકત છે,આત્માનો અહેસાસ છે.પ્રેમમાં પામવું મહત્વનું નથી, ત્યાગથી જ પ્રેમ પ્રવાહ અખૂટ વહેતો રહેશે.
પ્રેમ અઢી અક્ષરનો શબ્દ અને તેના પર્યાયવાચી શબ્દો પણ અઢી અક્ષરના જેવાકે સ્નેહ, પ્રિતી,પ્યાર,ઈસ્ક,વ્હાલ અને પ્રેમની પરમ સીમા એટલે પ્રભુ એ પણ અઢી અક્ષરનો જ છે ને.સંત કબીરનો દોહો આવો જ ભાવ વ્યકત કરે છે.
“પ્રેમ પ્રેમ સબ કોઇ કહે ઠગ,ઠાકોર ઓર ચોર,
   બિન પ્રેમ રીઝે નહી તુલસી નંદકિશોર.”
પ્રેમ લક્ષણા ભક્તિ સર્વોચ્ચ ભક્તિ છે, તેમાં નિશ્વાર્થ પ્રેમ જેવોકે મીરાનો, ગોકુળની ગોપીઓનો. 
પ્રેમ વિશે વાતો કર્યા પછી વિચાર આવે છે આ દિવસ ૧૪ ફેબ્રુઆરીએ જ શા માટે અને તેનું નામ વેલેન્ટાઈન કેમ!! પ્રેમ દિવસ કે ઇસ્ક દિવસ પણ કહી શકાત!!
આ નામની પણ આગવી સ્ટૉરી છે, ઘણા વખત પહેલા મેં વાંચેલ યાદ આવી.
૧૮મી સદીમાં જર્મનીમાં એવો કાયદો હતો મિલિટરીના જુવાનો લગ્ન ન કરી શકે.
આ કાયદાથી યુવાન યુવકો પરેસાન થતા પોતાની પ્રિયતમાને લડાય ન થતી હોય ત્યારે પણ મળી ના શકાય!! જર્મનીના એક કેથેલીક ચર્ચના વેલેન્ટઈન નામના પાદરી આ યુવાન પ્રેમીઓની વ્યથા સમજતા તેમના મેરેજ કરાવી આપતા.
જર્મની સરકારે પાદરીની ધરપકડ કરી જેલમાં પુર્યા ખૂબ હેરાન પરેસાન કર્યા ગુનો કબુલ કરવા. તેઓ મક્કમ બસ એટલું જ બોલે મારો ગુનો છે જ નહી હું પ્રેમને જોડું છું. છેવટે સરકારે તેમને ૧૪ ફેબ્રુઆરીના દિવસે ફાંસી આપી. તેમના આ પ્રેમના જોડાણ કરાવી આપવાના બલિદાનને અમર રાખવા આ દિવસ ઊજવવાની શરુઆત થઈ પ્રથમ યુરોપ, અમેરીકામાં અને હવે તો આખી દુનિયામાં આ દિવસ ઊજવાય છે.
અસ્તુ
ડો ઈન્દુબેન શાહ

 

 

 

Posted in લેખ | 3 ટિપ્પણીઓ

કોરોના વેક્સિન

 

આજે સેવી ઘેર આવીને તુરત રૂમમાં સુઈ ગઈ. મેઘનાને ચિંતા થઈ, થાય જ ને રોજ ઓફિસેથી આવે ઘરમાં પગ મુકતા જ “મમ્મી ઘરમાં છે કે કિટી પાર્ટીમાં કે મહિલામંડળમાં ગઈ છે? મેઘના બહારની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતી એક જ દીકરી, પતિ મેહુલ મહિનામાં ૧૫ દિવસ ઘેર અને ૧૨ થી ૧૫ દિવસ બહાર ગામ, મેઘના ટી વીની સિરિયલ જોવા કરતા અઠવાડીયાના ત્રણ દિવસ મહિલા મંડળમાં બહેનોને ભરતકામ શીખવતી, એક દિવસ કિટી પાર્ટીમાં બહેનો ધાર્મિક પુષ્તકનું અધ્યયન કરતી. સાંજે ઘેર બન્ને મા દીકરી આખો દિવસ શું કર્યું તેની મઝાક મસ્તી સાથે ડીનર લેતા વાતો કરતા.
આજે સેવીને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો હતો એટલે દુઃખાવો થતો હશે વિચારી મેઘનાએ કામમાં મન પરોવ્યું, ચિત્ત સેવીના વિચારોમાં જ વ્યસ્ત, કાલે વેલેન્ટાઈન ડે છે, મેહુલ સવારની ફ્લાઇટમાં આવી જવાના છે, ઊપર જઈને જોઉ પુછું શું થાય છે! વિચાર કરતા કરતા દાદર ચડી બેડરૂમ બંધ નોક કરી અંદર ગઈ સેવીના કપાળે હાથ મુક્યો ગરમ,છાતી પર હાથ મુક્યો શ્વાસોછ્વાસની ગતી વધી ગયેલ, સેવી બેટા શું થાય છે? મમ્મી ૯૧૧ જોડ મને હોસ્પિટલ લઈ જા મને વેક્સિનના બીજા ડોઝનું રિએક્સન આવ્યું છે. મેઘનાએ તુરત એમબ્યુલંસ બોલાવી સેવીને કોરોના આઈ સી યુ માં દાખલ કરી .ઓક્સિજન માસ્ક થી સેચ્યુરેસન ૯૫-૯૮ આવ્યું. મેઘના મોડી રાત્રે ઘેર આવી, સોફા પર આડી પડી ઊંઘ તો આવે જ નહી. ૫ વાગે ઊઠી તૈયાર થઈ એરપોર્ટ ગઈ, ફ્લાઇટ સમયસર આવી, મેહુલને રસ્તામાં વાત કરીશ ના ના..ઘેર પહોંંચીને જ વાત કરું એ જ બરાબર વિચાર કરતી મેહુલની રાહ જોઈ રહી, મેહુલ આવ્યો હાથમાં બે ગુલાબ, ગાડીની પાછલી સિટ પર નજર ફેરવી બોલ્યો મેઘના સેવી નથી આવી આજે એ રજા લેવાની હતી! શું થયું સુતી હશે, મેઘના લે તારુ ગુલાબ મારો વહાલનો દરિયો દીકરીને ગુલાબ ઘેર જઈને, આમ સાધારણ વાતો કરતા બન્ને ઘેર પહોંચ્યા. મેઘના રસોડામાં ગઈ મેહુલ તમે ફ્રેસ થાવ હું આદુ ફુદીનો મસાલા ચા બનાવું છું. મેહુલ સાવર લઈને આવ્યો વાહ કેટલા દિવસે તારી ચા પીવા મળશે ચા-નાસ્તો કરતા “અરે સેવી હજુ નથી આવી!” મેહુલ રજાનો દિવસ છે સુવા દે ને સારું તારી દીકરીને સુવા દવ છું
મારાથી રાહ નહીં જોવાય બોલતા ગરમ પરોઠા,ગાઠીયા ચાની ચુસ્કી સાથે માણી રહ્યો. મેઘના મનમાં મુંજાયા કરે. હિંમત કરી બોલી મેહુલ સેવી હોસ્પિટલમાં છે તેણીને વેક્સિન બીજા ડૉઝનું રિયેક્સન આવેલ છે.બન્ને હોસ્પિટલ પહોંચ્યા નર્સને મળ્યા નર્સે સારા સમાચાર આપ્યા સેવીને આજે સાંજે રજા મળી જશે સેચ્યુરેસન ઓક્સિજન વગર ૯૮-૯૯ રહે છે. બન્ને ડો ને મળ્યા ૪ વાગે દીકરી સાથે ઘેર ગયા.
ત્રણે જણાએ વેલેન્ટાઇન દિવસે સાથે ડીનર લીધું
૦૨-૧૪ -૨૦૨૧
.    

  

 

 


Posted in વાર્તા | Leave a comment

હોય છે

જાહેર જે થઈ જાય છે મઝા હોય છે
છૂપું ભલે જાહેર થતા સજા હોય છે

છાનું રે છપનું થઈ જતું હોય તો
ના સમજણો કંઈક તેમા લજ્જા હોય છે

જીવન અકાળે શું લાવશે નથી જાણતા
જાણ્યું સવારે આશ્ચર્ય પામતા હોય છે

આકાર સુંદર કર્યાને થાક્યા સર્વ એ
અંતે તો હેમનું હેમ જાણતા હોય છે

પ્રકૃતિ જો હોય સ્વિકૃતિની કોઇની
તો ક્યારેક વળી ના પાડતા હોય છે

Posted in ગઝલ | 2 ટિપ્પણીઓ

સાલ વસમી વિસની

સાલ વસમી ૨૦ની ગઈ
ભૂલાશે કદી નહીં

 લાવી કોરોનાની મહામારી
સ્વગૃહે ગયા પૂરાઈ
વિશ્વભરના માનવી
ભૂલાશે કદી નહીં

    મિત્રો સહુ મુંજાય
ના હળી મળી શકાઈ
ઘેર ના આવે કોઈ
ડોરબેલ કદીક સંભળાય
હર્ષે દોડી ઊઘાડું દેખાય

બે રોજગાર યુવક
વહેંચવા સિક્યોરીટી સિસ્ટમ
કમને ના પાડી આભાર વ્યક્ત
કરીને કર્યો વિદાય

      હે ઈશ્વર પ્રાર્થુ તને હું
૨૧ની સાલ આવકારું
કોવિદ૧૯ વેક્સીન શૉધાય
વિશ્વમાં સુખ શાંતિ સ્વાસ્થય
સાથ હર્ષ ઉમંગ હૈયે છલકાય

Posted in કાવ્ય | 5 ટિપ્પણીઓ

પ્રેમ પ્રવાહ

પ્રેમ પ્રવાહનું પવિત્ર ઝરણું
    મુજ હૈયેથી નિસર્યું
કુટુંબી સર્વને ભીંજવતુ
      મુજ હૈયેથી નિસર્યું

પડોશી જનોને આવકારતું
 મન બુદ્ધિને હડસેલતું
બુદ્ધિથી પરે એ ઝરણું
     મુજ હૈયેથી નિસર્યું

નાત જાતના ભેદ ભૂલીને
સૌને આલિંગનમાં લેતું
ચહેરે ચહેરે હાસ્ય ફરકાવતું
       મુજ હૈયેથી નિસર્યું


ભાવના વિશ્વ બંધુત્વની વહે
પૃથ્વીના કણ કણ મહેકાવતું
ફુવારા સ્નેહના લહેરાવતું
મુજ હૈયેથી નિસર્યું




Posted in ગીત | 2 ટિપ્પણીઓ

શાંતિ ટુંકી નવલિકા

 

શાંતિ સગર્ભા , તેના પતિ સાથે ડો રીનાના રૂમમાં પ્રવેશી. શાંતિને  પહેલીવાર ચોટીલામાં જોયેલ, મારા કાકાજીની બીજા નંબરની દીકરી જન્મથી બહેરી મુંગી કાકીને ત્રણ દીકરી મોટી તરુલતાના લગ્ન થઈ ગયેલ મુંબઈ સાસરીમાં સુખી હતી, નાની ૮માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. હું અને મારા પતિ ડો રવિ છેડાછેડી છોડવા ચોટીલા આવેલ.
કાકીનો દીકરો અને કાકા દુકાને ગયા. અમે ચા નાસ્તો કરી  મારા કાકીજી નાની નણંદ વિનોદીની (કાઠીયાવાડમાં રિવાજ નણંદ છેડાછેડી છોડે ) સાથે ચામુંડા માતાના મઠ પર ગયા વિધી પતાવી, ડુંગર ચડ્યા દર્શન કર્યા બપોરના ૧૨ઃ૩૦ વાગે ઘેર આવ્યા, શાંતિએ રસોય તૈયાર રાખેલ ઇશારાથી અમને હાથ ધોય જમવાના આસન પર બેસવા કહ્યું . શાંતિની હોશિયારી સમજણ જોઇ, મેં કાકીને મુંબઈ બહેરા મુંગાની શાળા વિષે વાત કરી,રવિએ કાકાને વાત કરી. અમે સાંજે સુરેન્દ્રનગર જવા નીકળી ગયા.
આ વાતને ત્રણ-ચાર વર્ષ થઈ ગયેલ અમે બન્ને અમારા વ્યવસાયમાં વ્યસ્ત ચોટીલા જવાનું થયેલ નહીં.આજે શાંતિને તેના પતિ સાથે જોઈ અમને બન્નેને ખૂબ આનંદ થયો. શાંતિ થોડું બોલતી થયેલ તેના પતિ મનહર એકદમ નોર્મલ વઢવાણની પ્રાથમિક શાળામાં શિક્ષક. શાંતિને તપાસી વિટામિન્સ કેલ્શીયમ વગેરે આપ્યા પ્રસુતિ ઘેર નહી કરવાની સલાહ આપી, દર પંદર દિવસે બતાવવા આવવાનું,શાંતિ નિયમીત સુચના મુજબ બતાવવા આવતી, નવ મહિને તંદુરસ્ત દીકરાનો જન્મ થયો, કાકી સમયસર આવી ગયેલ. એક દિવસ કાકી મારા રૂમમાં આવ્યા પુછ્યું “રીના શાંતિને તમારા દવાખનેથી ચોટીલા ટેક્ષીમાં લઈ જવાય?” “કાકી કોઈ વાંધો નહી પણ તમારે બાબાને ત્યાં ત્રણ મહિને રસી મુકાવવી પડશે,”
કાકીઃઅમારા સરકારી દવાખાનામાં ડોકટર સારા છે બધાને રસી આપે છે,
“તો કોઈ વાંધો નહીં, કાકી શાંતિને આવો સરસ પતિ મળ્યો તેનો અમને બન્નેને ખૂબ  આનંદ છે,મુંગા બહેરાને પણ જીવનસાથી મળી રહે છે.
કાકીઃ રીના એના નસીબ અને આવડતે એને આટલા સારા પતિ મળ્યા બાકી અમને ચિંતા રહેતી શાંતિનું અમારા ગયા પછી કોણ? અમારા પુણ્યનો ઉદય થયો. આપણે ત્યાં નામુ લખે છે નટુભાઈ તેમણે મનહરલાલ વિષે વાત કરી ગરીબ મા-બાપ વગરનો સાળંત પાસ છે, એક રવિવાર તેઓ મનહરલાલને આપણા ઘેર લઈને આવ્યા શાંતિની રસોય અને આવડત જોઈ પસંદ કરી, મહિનામાં સગાય અને તુરત સાદાયથી લગ્ન કર્યા વધારે સમય જાય તેમાં જોખમ નાના ગામમાં હેતુ દુશ્મન હોય એટલે કોઈને બોલાવ્યા નહોતા,
“સરસ કાકી તમે શાંતિનો ઉછેર સારો કર્યો છે.”
ત્યારબાદ બે વર્ષમાં શાંતિને બીજો દીકરો થયો.
શાંતિના બન્ને  દીકર નોરમલ.
માતા-પિતાના ઉછેર અને સંસ્કારથી મુંગી-બહેરી દીકરી પતિ અને બે બોલતા બાળકો સાથે આનંદથી વઢવાણમાં રહે છે.
સત્ય ઘટના પર આધારીત

 

 

 

Posted in સ્વરચના | 4 ટિપ્પણીઓ

ઈશ્વરને ઓળખો


ઘણી વાર સાંભળીએ છીએ કથાઓમાં ઈશ્વરને ઓળખવા શું આવષ્યક છે. કોઈ કથાકાર કહે રોજ પૂજા -અર્ચના કરો એક દિવસ પ્રભુ ખુશ થશે તમને દર્શન આપશે.
તો કોઈ કથાકાર એમ કહેશે ધાર્મિક પુષ્તક રામાયણ, ભાગવતના નિયમીત અધ્યયન કરવાથી ઈશ્વરને જરૂર ઓળખશો, તો કોઈ વક્તા આધ્યાતમિક માર્ગ બતાવશે યોગ કરો ધ્યાન કરો ઈશ્વરના દર્શન કરશો. આ બધુ સાંભળી મને નાનપણમાં સાંભળેલ ભજન યાદ આવ્યું,
“આંખ મારી ઊઘડે ત્યાં સીતા-રામ દેખું “
આ ભજન રચનારે જરૂર આંખ ઊઘડતા દર્શન કર્યા જ હશે. આપણે સહુ આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરતા નિદ્રાવસ થઈએ તો ચોક્કસ આપણને સહુને આંખ ઊઘડતા પ્રભુના દર્શન થાય જ.
મને વિચાર આવ્યો ઈશ્વરનો વાસ તો કણ કણમાં છે, કુદરતની રચના ઈશ્વરેજ કરેલ છે. બહાર નજર કરીએ આકાશમાં વાદળોમાં ચાલતો દેખાઇ,ગાજવિજ થતી હોય તેમાં બોલતો સંભળાય, વિજળીમાં હાથ ફેલાવતો અને વરસાદને નીચે ઉતારતો જણાય. બાગમાં દ્રષ્ટી કરીએ ફૂલોમાં હસતો ઝાડના થડ ઉપરથી શાખાઓ પર ચડતો પાંદડાઓને જુલાવતો જોવા મળશે, વહેલી સવારના ઝાકળના બિંદુઓમાં રમતો જોવા મળશે. આમ ઈશ્વરને ઓળખવા આપણે આપણી નજર જ બધે ફેરવવાની રહેશે બધે જ ઈશ્વર દેખાશે.

Posted in સ્વરચના | Leave a comment

આતમ દીપ

આતમ દીપ
આંગણે દીપમાળા પ્રગટાવી
આતમને આંગણે અંધાર પટ
મોહ માયા મદ ક્રોધ અંધકાર
અત્ર તત્ર સર્વત્ર આજ ભરપૂર
દૂર કર પ્રગટાવ દિલમાં દીવોએક
કોડિયામાં પુરી સમજણનું તેલ
આત્મ વિશ્વાસે વધ આગળ
કેળવી માનસિક દ્રઢતા તું આજ
સોદાગર સપનાનો બનીશ જરૂર
આતમ દીપ પ્રગટશે આંતરિક ઊર્જા થકી



Posted in કાવ્ય | 2 ટિપ્પણીઓ

સાહિત્યના સથવારે

 સૌ પ્રથમ સાહિત્યની પરિભાષા વિષે જાણીએ, સાહિત્ય એટલે પ્રજાના             વિચાર, ભાવના,અને  જ્ઞાન વગેરેની ભાષામાં સંઘ્રાયેલી મૂડી.
સાહિત્ય ઘણા બધા વિષયો પર હોય શકે, અને તે સાહિત્યકારના ભાવ વિષ્વ પર રચાયેલ હોય છે. ઐતિહાસિક સાહિત્ય હોય તોતે પોતાના ભાવ સાથે ઇતિહાસ રજુ કરતું હોય છે, જે શ્રી ક. મા. મુનશીની ઐતિહાસિક  નવલકથાઓ, પાટણની પ્રભુતા, ગુજરાતનોનાથ, રાજાધિરાજ વગેરેમાં વાચકો અનુભવે છે.આ નવલકથામાં લેખકના કાલ્પનિક પાત્રોનો પણ સમાવેશ થતો હોય છે.
બીજો પ્રકાર પ્રવાસ વર્ણન કરતું સાહિત્ય જેમાં લેખકે કરેલા પ્રવાસ,  સાહસ   વગેરેનું ભાવાત્મક વર્ણન કરવામાં આવે છે. પ્રીતિ સેનગુપ્તા અને રાજુલ   કૌશિક  આ બે લેખિકાનો ફાળૉ આ સાહિત્ય રચવામાં ગણાય , જોકે આ સિવાય ઘણા લેખકોએ પ્રવાસ વર્ણન લખેલ છે.
ત્રિજો પ્રકાર કાલ્પનિક વાર્તાઓ આમાં લેખકના વર્તમાન કે ભૂતકાળના પ્રસંગો સંજોગો,અનુભવો પર ભાવાત્મક પાત્રોનું આલેખન હોય છે. બાળ વાર્તાઓ પણ હોય શકે, બકોરપટેલની વાર્તાઓ જે આપણે સહુએ બાળપણમાં વાંચી છે. અત્યા્રે કોરોના કાળ ચાલી રહ્યો છે તે વિષય પર ઘણી વાર્તાઓ લખાય અને હજુ લખાતી રહેશે
ચોથો પ્રકાર કાવ્યાત્મક સાહિત્ય જેના ઘણા પ્રકાર છે -ગીત, ખંડકાવ્ય,           કવિતા,  લખુકાવ્ય, પૌરાણિક કાવ્ય દ્રષ્ટાંત રામાયણ, મહાભારત.
આધ્યાત્મિક સાહિત્યનો એક આગવો પ્રકાર છે જેમાં વિષ્વ ભરના ધર્મ વિષે   સાહિત્યકાર પોતાના વિચારો દર્શાવે છે .
આ સિવાય વર્તમાન પત્રો ,સામયિક ,પખવાડીક વગેરેના વાંચનથી ઘણી માહિતી પ્રાપ્ત થાય છે.
સાહિત્યનો વિષ્વભરની ભાષામાં લખાયેલ ભરપૂર ખજાનો છે.
વાચક ખુદના રસ મુજબ વાંચી શકે છે.
છેલ્લે મારી બે પંક્તિ
મુજ જીવન વહે સાહિત્યને સથવારે
વિરમું એજ અભિલાષા સાથે.
અસ્તુ
૧૦-૨૫-૨૦

Posted in લેખ | 2 ટિપ્પણીઓ

કોરોનાનો કેર

    આશા રોજ સવારે તૈયાર થાય હોસ્પિટલ જવા, અને તેના મમ્મી અનસુયાબેન બહાર આવે ,’

“બેટા તું બરાબર ધ્યાન રાખજે રોજ ન્યુઝમાં સાંભળીને મને બહુ ચિંતા થાય છે, હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતા જાય છે, તારો દિકરો ૩ વર્ષનો અને દીકરી તો ૩ મહિનાની છે હું તો કહુ છું તું મેટર્નીટી રજા વધારે લઈ લે,” “મમ્મી હું આઇ સી યુ નિ હેડ છું અત્યારે સૌથી વધારે દર્દી આ સી યુમાં હોય છે . અત્યારે ડૉકટર્સની બધી હોસ્પિટલમાં ખૂબ જરૂર છે ત્યારે મારે રજા લેવાની સલાહ તું આપે છે, મમ્મી હું બરાબર ધ્યાન રાખું છું હોસ્પિટલના કપડા હું સીધા લોન્ડરીમાં નાખીને ઘરના ક્પડા લોબીના ક્લોસેટમાંથી પહેરીને અંદર આવું છું.હાથ ધોઈને પછી  જ અનયાને લઉ છું.
“સારું બેટા આ તો ન્યુઝમાં જાણ્યું ઘણા ડોકટરને કોરોનો લાગી જાય છે એટલે મારો જીવ ના રહ્યો તને ચેતવી બાકી તને તો બધી ખબર જ હોઈને,”
અઠવાડીયું થયું હશે આ વાતને અને એક દિવસ આશા હોસ્પિટલથી આવી બોલી મમ્મ્મી આજે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો છે +વ છે એટલે હું ૧૫ દિવસ નીચે ગેસ્ટ રૂમમાં કોરોન્ટાઇન થઈશ તમારે કોઈએ આવવાનું નહી.
“ભલે બેટા અલય તો તારા પપ્પા પાસે જ રહે છે અને અનયાને તો બોટલ આપીશું તારું પંપ કરેલું  દુધ હજુ ફ્રીઝમાં છે તે પીવડાવીશ.”
૧૫ દિવસ પૂરા થયા, આશાએ ફરી ટેસ્ટ કરાવ્યો -વ હતો તેણીનો પ્લાઝમા એન્ટીબોડી ટેસ્ટ માટે મોકલાવ્યો, રિઝલ્ટ આવ્યું  ઍન્ટીબોડી  જણાયા.
આશાએ પ્લાઝમા ડોનેટ કર્યું. તેની ખાસ બેનપણી અને સાથે કામ કરતી ડો. ઈમા કોરોનામાં સપડાયેલ તેને હજુ સુધી કોઈનું પ્લાઝમા મળેલ નહી આશાનું પ્લાઝમા મેચ થયું વખતસર મળી ગયું, ઈમા સારી થઈ ગઈ.
ઘેર આવી મમ્મી-પપ્પાને વાત કરી. મમ્મી જો હું ઘેર બેઠી રહી હોત તો મારી બેનપણીને બચાવી શકી હોત? બન્ને ખૂબ ખુશ થયા, “બેટા તું સેવાભાવી છે પ્રભુ તને લાંબુ આયુસ્ય અર્પે અને સેવા કરતી રહે.”

Posted in વાર્તા | 2 ટિપ્પણીઓ

હાઈકુ

મિત્રો આજે ચાલવા ગઈ, કોઈ માણસોની અવર જવર નહી, કોઈ પક્ષીઓની ચહલ પહલ નહી. શાંત કુદરત જોઈ આ હાઈકુ મનમાં સ્ફુર્યું.

છૂપાઇ ગયા
છે પક્ષીઓ માળામાં
કોરોના ભય!
વધુ હાઈકુ જુઓ  કેટેગરી હાઈકુમાં જઈને.

Posted in સ્વરચના | 2 ટિપ્પણીઓ

શું છે?

કોણ જાણી શક્યુંં  વિરતા શું છે?
તો કોઇ બતાવો કે નિર્બળતા શું છે?

શસ્ત્ર વિહોણા અભિમન્યુને ફસાવી
વિંધ્યો હણ્યો આ કૃરતા, ક્ષત્રિયતા શું છે?

કૌરવો પાંડવો લડ્યા ભાઈ ભાઈ
કોઈની જાણમાં નથી એકલતા શું છે?

ચોપટ ખેલમાં યુધિષ્ઠર નિતીએ રમ્યા
કૌરવો જીત્યા જાણૉ કપટતા શું છે?

દ્રૌપદીના છુટા કેશ વસ્ત્રાહરણ
જોઈ રહ્યા પિતામહ આ વિવસતા શું છે?

 

 

 

 

 

 

 

Posted in ગઝલ | 8 ટિપ્પણીઓ

ક્ષમાપના

         ઈર્ષા કામ ક્રોધ લોભ મોહ સમા
વાદળૉથી મુજ હ્રદયાકાશ અશુધ્ધ

આગ્રહ વિગ્રહ પરિગ્રહનો કરી ત્યાગ
ક્ષમાપના માંગી કરી લઉં વિશુધ્ધ

ના વિસરાય સ્મૃતિપટેથી ઉપકાર
વિસ્મૃત થતા રહે સદા અપકાર

પચાવી જાણું માન-અપમાન
મુજ હ્રદયે વશે એ ભાવ હંમેશ

      સદા વહેતો રહે મુજ નેત્રોથી પ્રેમ
પ્રાર્થુ વિભુ શક્તિ એવી તું આપ

Posted in કાવ્ય | 5 ટિપ્પણીઓ

હિંસા- અહિંસા

હિંસા એટલે કોઈને મારી નાખવા, પશુ- પક્ષીને,જળચરને  શૉખ ખાતર મારવા અથવા માંસાહારી પોતાના ભોજન માટે મારતા હોય છે આ એક પ્રકારની હિંસાછે . વધારે કૃર હિંસા ખૂન કરવું તે છે આના પણ કારણ હોય શકે.અને અહિંસા એટલે ન મારવું એ. આ તો ફક્ત સ્થુળ અર્થ થયા.
સુક્ષ્મ અર્થ કરીએ તો આપણે દિવસમાં ઘણી હિંસા જાણે અજાણે કરતા હોઇએ છીએ. જોઇએ એ શું છે.
કુવિચાર કરવો ધંધામાં  કોરોના મહામારીનો લાભ લઈ વેપારીઓ માલ -સામાનના ભાવ વધારે તે હિંસા છે . વ્યવહારમાં વહાલા-દવલા કરી પક્ષપાત કરવો એ પણ હિંસા છે, મિથ્યા ભાસણ કરવા તે હિંસા છે, કોઈનું ખરાબ ઈચ્છવું કે ખરાબ થતું હોય તે જોય મનમાં રાજી થવું તે પણ હિંસા છે.માણસનો સહજ સ્વભાવ અહિંસા છે. પશુનો સહજ સ્વભાવ હિંસા છે.
હિંસા કર્યા પહેલા મનમાં નકારાત્મક ભાવો ઉદભવે છે જેવાકે ક્રોધ ,રાગ-દ્વેશ,અહંકાર. પ્રથમ શત્રુ પ્રત્યે અણગમો થાય ત્યારબાદ અણગમો               રોષમાં રૂપાંતરિત થાય છે. પરિણામ જો હું સમર્થ હોવ તો ક્રોધને શત્રુને નિર્મુળ કરવા તરફ પ્રેરિત કરું છું અને જો શત્રુ સમર્થ હોય તો ક્રોધને પોતાની નિર્બળતાના કારણે તત્પૂરતો દબાવી દેવો પડે છે.આ અહિંસા નથી.
મહાભારત યુધ્ધ વિષે આપણે સહુ જાણીએ છીઍ કે અર્જુન સમર્થ છે પણ લડવા માંગતો નથી એનું કારણ અહિંસા નથી. કૌરવોની સેના જોઇને એના મનમાં સંવેદના પ્રગટૅ છે અને સગા-વહાલા અને ગુરુ પ્રત્યે મોહ જાગે છે અને તેનું ગાંડીવ ધનુષ્ય તેના ખભા પરથી સરી પડે છે.ત્યારબાદ ગીતાબોધ શ્રી કૃષ્ણ આપે છે.અને મહાભારત ધર્મ યુધ્ધ શરુ થાય છે.
બીજો દાખલો ઈમરજન્સી ઓપરેસન કરતી વખતે દર્દીનું અવસાન થાય તો તે હિંસા ન ગણાય ડો.નો આસય દર્દીને બચાવવાનો હતો.
પ્રભુને પ્રાર્થના કરું સૌ પ્રત્યે પ્રેમભાવ રાખું  બીજાની ભૂલોને માફ કરી દઉ અને મારી ભૂલનો સ્વીકાર કરી માફી માંગુ. મારુંં જીવન સાર્થક કરું.

 

 

Posted in આધ્યાત્મિક ચિંતન | 4 ટિપ્પણીઓ

શ્રાવન મહિનાનો મહિમા

sadasiva

શ્રાવણ મહિનાની શરૂઆત થાય અને શિવ મંદિરોમાં શિવ ભક્તો શિવલીંગ પર અભિસેક કરવા ઊમટી પડે. શિવ, દેવોના દેવ મહાદેવ કહેવાય છે. રામ ભગવાને લંકા જતા પહેલા શિવસ્મર્ણ કર્યું , શિવલિંગ ઉપસ્થિત થયું તેની પૂજા અર્ચના શ્રી રામ ભગવાને કરી જે આજે રામેશ્વરમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે. હિંદુ ધર્મના ચાર દિશામાં આવેલ ચાર યાત્રાધામ પૂર્વમાં જગન્નાથપૂરી, પશ્ચિમમાં દ્વારિકાધીશ ઉતરમાં બદ્રીનાથ  અને દક્ષિણ દિશામાં રામેશ્વરમની ગણતરી થાય છે.શ્રી કૃષ્ણ ભગવાને બે દિવસના હતા ત્યારે શ્રી શિવ ભગવાનના દર્શન કરવા વ્યાકુળ થયા રુદન કર્યું જશોદા મા અને સખીઓએ ઘણા ઉપાય કર્યા છતા બાળ કૃષ્ણ શાંત ન થયા ભગવાન શિવના દર્શન કર્યા તુરત જ શાંત થયા.
મહાભારત કથામાં ઘણા પાત્રોએ શિવ આરાધના કર્યાનો ઉલ્લેખ છે.યુધ્ધ સમાપ્ત થયા પછી યુધીષ્ઠિર સાથે બધા ભાઇઓ ગુરુ હત્યા, ગુરુ ભાઈઓ તથા પોતાના સો પિત્રાય ભાઇઓની હત્યાના શોકમાં ડુબી જાય છે, ત્યારે શ્રી કૃષ્ણ તેઓને શિવ ધ્યાન કરી પાપનું પ્રાયશ્ચિત કરી પાપ મુક્ત થવાની સલાહ આપે છે.યુધિષ્ઠર પૂછે છે કિશન તમે ભગવાન છો તમે તો ધારો તે કરી શકો છો તો તમે જ અમને પાપ મુક્ત ન કરી શકો? કૃષ્ણ જવાબ આપે છે મોટાભાઈ મેં જે બધું કર્યું તે ધર્મ,અને ન્યાય માટે કર્યું, હું તમને પાપ્મુક્ત ના કરી શકુ તે માટે તમારે શિવ ધ્યાન કરવું યોગ્ય છે દયાળુ શિવ જલ્દી પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે.

રામ ભગવાન અને શ્રી કૃષ્ણ બન્ને દેવોએ શિવને મહત્વ આપ્યું.માટૅ દેવોના દેવ મહાદેવ તરીકે પૂજાય છે.

શ્રાવણ મહિનાની વદ આઠમને દિવસે આખી દુનિયામાં વસતા હિંદુઓ કૃષ્ણ જન્મ નો ઉત્સવ ઊજવે છે. મહારાષ્ટ્ર્માં માખણની મટકી ફોડી કૃષ્ણ બાળલીલાનો ઊત્સવનું ખૂબ મહત્વ છે.આ દિવસોમાંબાળ કૃષ્ણના હિંડોળા જુલાવવાનોને  ઉત્સવ ઘણા મંદીરોમાં તથા કૃષ્ણ ભક્તોના ઘેર ઉજવાય છે. આ મહિનામાં પુનમને દિવસે ભાઈબેનના પવિત્ર સંબંધનું  રક્ષાબંધન પર્વ ઉજવાય છે.આ પુનમ નાળિયેરી પુનમ તરીકે ઓળખાય છે,કારણ આ દિવસે માછીમારો નાળિયેર વધેરી સમુદ્રની પૂજા કરે છે જેથી સમુદ્ર ચોમાસા દરમ્યાન શાંત રહે અને માછીમાર તેમનો વ્યવસાય જોખમ વગર કરી શકે. ત્યારબાદ નાગ પંચમી અને શીતળા સાતમ જેવા પર્વ પણ ગુજરાતના ગામડાઓમાં આજે પણ ઉજવાય છે.અમુક સ્થળૉએ સાતમ આઠમનો પ્રખ્યાત મેળો ભરાય છે, નાના મોટા સહુ મેળામાં છુટથી મહાલે છે.
શ્રાવણ મહિનાની વદ ચૌદસથી જૈન ધર્મના પર્યુશણ પર્વનો આરંભ થાય છે. આમ શ્રાવણ માસ ખૂબ મહત્તવનો મહિનો છે.

Posted in સ્વરચના | 1 ટીકા

કપરો સમય

 

   આ સમય કપરો ભલે
હોય ભ્રમણ કરતો ભલે

       કોઇ તો ઉપાય મળશે
વાટ જોઇ બધે ફરતો ભલે

      પુન્ય જરૂર કોઇના હશે
પાપ બધા ઉભરતો ભલે

    શોધશે જરૂર ઉપાય હવે
દાકતર બધે વિહરતા ભલે

     રિસર્ચ થયા ઘણા નાથશે
પકડમાં લેશે હરખતો ભલે

      સ્મશાને જતા અટકશે ?
પ્રભુ સુજાડ ઉકેલતો હવે

Posted in કાવ્ય | Leave a comment